ભૂલ તો મેં કરી ગુસ્સો PM મોદી પર ન કાઢશો: પુરષોતમ રૂપાલાએ કહી આ વાત...
- 27 Apr, 2024
ગુજરાતની રાજકોટ લોકસભા સીટથી બીજેપી ઉમેદવાર પુરષોતમ રૂપાલાએ એક વખત ફરી માંફી માંગી છે. જસદણમાં આયોજિત એક ચૂંટણી સભાને સંબોધિત કરતા રૂપાલાએ કહ્યું હતું કે ભૂલ તો મેં કરી હતી, સાર્વજનિક રીતે માંફી પણ માંગી છે. મારો કોઈ ખોટો ઈરાદો નથી. મેં ક્ષત્રિય સમુદાયની વચ્ચે જઈને માફી માંગી હતી. તેમણે મને પ્રતિસાદ પણ આપ્યો હતો. તો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ શાં માટે?
પુરષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમુદાયને કહ્યું કે તમે તમારા યોગદાનને યાદ કરો, બીજેપીના વિકાસમાં પણ તમારું મોટું યોગદાન રહ્યું છે. 18 કલાક કામ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જ્યારે દેશ સિવાય કંઈ ન વિચારી રહ્યાં હોય, 140 કરોડ લોકોને પોતાનો પરિવાર સમજતા હોય, પીએમ મોદીની વિકાસ યાત્રામાં ક્ષત્રિયો તેમની સાથે રહ્યાં છે તો તેમનો વિરોધ મારા કારણે શાં માટે? મારી ભૂલનો હું સ્વીકાર કરું છું. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ ક્ષત્રિય સમુદાયને ઉભો કરવો તે મને યોગ્ય લાગતું નથી. પીએમની વિરુદ્ધ કરવામાં આવી રહેલા આક્રોશને લઈને ફરીથી વિચાર કરવામાં આવે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ